Skip to main content

Surat Adajans Doctor saves Patiets life

 કર્તવ્યપરાયણ / ICUમાં દાખલ કોરોનાગ્રસ્ત તબીબે પોતાની ઓક્સિજન પાઇપ કાઢી અન્ય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામાં મદદ કરી


સુરત. અડાજણ ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ-19 આઇસીયુમાં સંક્રમિત બનેલાં ડોકટર, દર્દી અને યમરાજ વચ્ચે જાણે ત્રિકોણીય જંગ થયો. એક દર્દીનું ઓક્સિજન ઓછું થતું હોય તેને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી, આ સમયે હાજર ડોકટર 70 વર્ષીય દર્દીની સાંકળી શ્વાસનળીના લીધે તેમને વેન્ટીલેટર પર ચઢાવવાની જહેતમ કરતા રહ્યા, સફળતા મળીં નહી. દર્દીને તાત્કાલિક મદદની જરૂર હતી. આઇસીયુમાં ત્યારે એક એનેસ્ટેથિક હાજર હતા, પરંતુ તેઓ હાઇફ્લો ઓક્સિજન પર હતા. આ બધુ જોઇ તેમનાથી રહેવાયુ નહી અને ઓક્સિજન પાઇપ કાઢી ઊભા થઈને વેન્ટીલેટર પર દર્દીને ચઢાવી તેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.


અનેક પ્રયત્નો છતાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવાતો નહતો

વાત ડો. સંકેત પટેલની છે જેઓ હાલ અડાજણની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. ડોકટર સંકેત એનેસ્થેટીસ્ટ છે અને પોતાની ડયૂટી દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. દરમિયાન કોવિડ આઇસીયુમાં એ રાત્રિએ જ્યારે નજીકના એક બેડ પરના દર્દીની તબિયત લથડતા તેને વેન્ટિલેટર પર ચઢાવવાની ફરજ પડી હતી. પરંતુ દર્દીની શ્વાસનળી સાંકળી હોય ઉપસ્થિત ડોકટરના અનેક પ્રયત્નો છતાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવાતો નહતો. ઉપરાંત જે તે સમયે હોસ્પિટલમાં કોઈ એનેસ્થેટીસ્ટ પણ હતા નહીં. અને ગણતરીની મિનિટમાં બીજેથી લાવવા પણ શક્ય નહતા. બીજી તરફ આ દર્દીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યુ હતુ. જરૂરી એ હતુ કે તાત્કાલિક આ દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવામા આવે.


દરમિયાન, આ દૃશ્ય ડો. સંકેત પણ જોઇ રહ્યા હતા. પરંતુ તેઓ પોતે હાઇ-ફ્લો ઓક્સિજન પર હતા. પરંતુ આખરે જીવ તો ડોકટરનો જ હોય તેઓ ઓક્સિજન સાથે ઊભા થઈ ગયા અને પોતે એનેસ્થેટીસ્ટ પણ હોય તેઓ દર્દી પાસે પહોંચ્યા હતા અને તેને ઇન્ટુબેટ (વેન્ટીલેટર પર ચઢાવી) કરી તેનો જીવ બચાવ્યો હતો. જો કે હજી પણ ડો.સંકેત ICUમાં જ છે.


અન્યોએ ના પાડી હતી

દરમિયાન આઇસીયુમાં જે રીતે ડો. સંકેતે હિમ્મત દાખવી તે દરમિયાન ત્યાં જે અન્ય ડોકટર હતા તેઓએ ઓક્સિજન કાઢીને પોતે જીવ જોખમમાં ન નાંખે એમ જણાવ્યુ હતુ પરંતુ ડો.સંકેતે જીવ સાચવવા કરતાં જીવ બચાવવાને પ્રાધાન્ય આપ્યુ હતુ.

Comments

Popular posts from this blog

નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે આવેદન પત્ર

  રાજકીય તેમજ સરકારી અનામત સંઘર્ષ સમિતિની ૩૨ જેટલી સંસ્થાઓએ ભેગા મળી સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ કાંતિ રાંદેરિયાની આગેવાની હેઠળ કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું. નવી વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજ્યની વિધાનસભા અને પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓના પ્રશ્નો માટે અનામત સીટો વધારવા માટે કલેકટરના માધ્યમથી ભારતીય ચૂંટણી પંચને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.

જીભની રચના

સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ

  સુરતના ONGCમાં બેરુત જેવો બ્લાસ્ટ : ધડાકા સાથે અડધા શહેરમાં કંપારી અનુભવાઇ મળતી માહીતી મુજબ સુરત (Surat) નાં હજીરા (Hazira) માં આવેલી ONGC કંપનીમાં વહેલી સવારે ૩.૦૯ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ (Massive Blast) થયો હતો. પ્રાથમિક માહીતી અનુસાર આ ધડાકો ગેસ લીકેજને (Gas Leakage) કારણે થયો હતો. ધડાકાની તીવ્રતા એટલી બધી હતી કે સુરતનાં રાંદેર, અઠવા અને સેન્ટ્રલ ઝોનમાં કંપારી અનુભવાઇ હતી. હાલ પ્રાથમીક ધોરણે HADA (હજીરા એરીયા ડેવેલોપમેન્ટ ઓથોરીટી) દ્રારા ઇમરજન્સીનો કોલ આપવામાં આવ્યો છે. થોડા સમય પહેલા લેબેનોન દેશના બૈરૂતમાં થયેલો ધડાકો અને લાગેલી આગની જેમ જ સુરતના છેવાડે હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં પણ આજે મધરાત્રે ત્રણ કલાકે ધડાકા સાથે ગેસ ટર્મિનલ પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે ગેસ લીકેજને કારણે આ ધડાકો થયો હતો. જેનો અવાજ ફરતેના 25 કિ.મી. સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. ધડાકા સાથે લાગેલી આગને કારણે તેની જ્વાળાઓ આકાશમાં બે કિ.મી.થી પણ ઉંચી ઉઠી હતી. આગને કારણે હજીરાનું આખું આકાશ ગુલાબી કલરનું થઈ જવા પામ્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ હતી. ધડા...